By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પોષણ અભિયાન સાયરા- મોટા યક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય પ્રદર્શન ને સાંસદ વિનોદભાઇ ચાવડાનાં હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાશે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > કચ્છ > પોષણ અભિયાન સાયરા- મોટા યક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય પ્રદર્શન ને સાંસદ વિનોદભાઇ ચાવડાનાં હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાશે
કચ્છહેલ્થ

પોષણ અભિયાન સાયરા- મોટા યક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય પ્રદર્શન ને સાંસદ વિનોદભાઇ ચાવડાનાં હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાશે

Web Editor Panchat
Last updated: September 10, 2022 1:52 pm
Web Editor Panchat Published September 10, 2022
Share
SHARE

પોષણ અભિયાન -સપ્ટેમ્બર માસ-૨૦૨૨
સાયરા- મોટા યક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે.

સાંસદ વિનોદભાઇ ચાવડાનાં હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાશે

સવારે ૯.૩૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી જાહેર જનતા વિનામૂલ્ય
આ પ્રદર્શન અને કાર્યક્રમને માણી શકશે

કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ યક્ષ મેળાનો આવતીકાલથી નખત્રાણા ખાતે પ્રારંભ થશે ચાર દિવસ ચાલનારા મોટા યક્ષના આ પ્રસિદ્ધ મેળામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારણ પ્રદર્શન એકમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ જન માનસમાં જનજાગૃતિ માટે પ્રારંભ કરવામાં આવશે
માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો સૌરાષ્ટ્ર ઝોન અધિકારી દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ આજરોજ ભુજ ખાતે જણાવ્યું હતું કે, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રિય કાર્યાલય, ભુજ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે કચ્છ જિલ્લાનાં નખત્રાણા તાલુકાના સાયરા – મોટાયક્ષ ખાતે ઇન્ટીગ્રેટેડ ક્મ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ભવ્ય ફોટો પ્રદર્શન સહિત વિશેષ સરકારની યોજનાઓના જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં પોષણ અભિયાન (પોષણ માહ ઉજવણી સપ્ટેમ્બર ૨૦૨૨ પોષણ માસ), સ્વચ્છ ભારત અભિયાન, કોવિડ રસીકરણ અભિયાન, એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જેવા અભિયાનો અંતર્ગત વિશેષ મનોરંજનના વિવિધ માધ્યમોના કાર્યક્રમોનું આયોજન પણ કરાશે.
આઝાદીની સંઘર્ષગાથા તેમજ પ્રજા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ આવરી લેતા પ્રદર્શન સહિતના આ વિશેષ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવાની સાથે ભારત સરકાર દ્વારા ચાલી રહેલ વિભિન્ન અભિયાનો તેમજ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રાષ્ટ્રીય અભિયાનોમાં જનભાગીદારી વધારવાનો છે એમ શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ વિશેષ કાર્યક્રમ સાથેનાં ફોટો પ્રદર્શનને કચ્છ – ભુજ નાં સાંસદ વિનોદભાઇ ચાવડાનાં હસ્તે તા.૧૧/૯/૨૦૨૨ રવિવારનાં રોજ સાંજે ૬.30 કલાકે ખુલ્લુ મુકવામાં આવશે. ચાર દિવસ ચાલનારા આ મેળામાં ભવ્ય પ્રદર્શનની સાથે જનજાગૃતિનાં સંદેશાઓને લઈને મનોરંજક નાટ્ય પ્રસ્તુતિ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આયોજિત જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડતા વિવિધ સ્ટોલ્સ, આઝાદી ક્વીસ્ટ ગેમ મોબાઈલ એપ્લિકેશન અંગે જાણકારી, વિભિન્ન સ્પર્ધાઓ, પુરસ્કાર વિતરણ, સેલ્ફી કોર્નર જેવા વિભિન્ન કાર્યક્રમો લોક આકર્ષણનું કેન્દ્ર બનશે.
મહત્વનું છે કે મોટા યક્ષ મેળા સમિતિ અને સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયતના સહયોગથી મોટાયક્ષ મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજ દ્વારા આયોજિત થઈ રહેલ આ પ્રદર્શન તા. ૧૧ થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ ચાર દિવસ સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રહેશે. સવારે ૯: ૩૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેનારા પ્રદર્શન અને વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા સાયરા ગામના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો અને સમગ્ર કચ્છ ભુજના રહેવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મેળામાં આ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે વિવિધ વિભાગોના સ્ટોલો તેમજ માહિતી કચેરી કચ્છ ભુજ દ્વારા વિવિધ યોજનાના પુસ્તકો અને પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવશે.

You Might Also Like

કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !

વાઈડ એન્ગલ ના રાકેશ પટેલે 74 મી વખત રક્તદાન કરી ને યુવાઓને એક નવો રાહ ચીંધ્યો

ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન રાજ્યની શાળાઓમાં ધોરણ-૫ થી ૧૦ના તમામ બાળકોનું રસીકરણ કરાશે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી

સ્વસ્થ તેમજ નિરોગી રહેવા માટે આ ફળ છે ખુબ જ ફાયદાકારક, ગોઠણના દુખાવા જેવા ઘણા રોગ થશે દુર…

તાજા અને હેલ્ધી ખોરાકથી શરીર રહે છે એકદમ સ્વસ્થ, તંદુરસ્તીને જાળવી રાખવામાં કે સુધારવામાં કરે છે મદદ…

TAGGED:azadi amrut mahotsavinformation departmentkutchh bhujposhan abhiyanVINOD CHAVDA
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?