By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજ્યમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા રાજ્ય સરકારના મકકમ નિર્ધાર: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રાજ્યમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા રાજ્ય સરકારના મકકમ નિર્ધાર: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા રાજ્ય સરકારના મકકમ નિર્ધાર: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

Web Editor Panchat
Last updated: April 1, 2022 4:07 pm
Web Editor Panchat Published April 1, 2022
Share
SHARE

રાજ્યમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા રાજ્ય સરકારના મકકમ નિર્ધાર: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

¤ ખેડૂતોને પાક ધિરાણ માટે સહકારી ધિરાણ માળખા દ્વારા ૭%ના દરે ખેડૂતોને ધિરાણ:ધિરાણ સમયસર પરત ભરપાઇ કરવામાં આવે તો, રાજ્ય સરકાર દ્વારા ૪% મુજબ અને ભારત સરકાર દ્વારા ૩% મુજબ વ્યાજ રાહત

¤ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારના અનેકવિધ નવતર આયામો

¤ ખેડૂતોને પુરતા પ્રમાણમાં સસ્તુ ખાતર ,બિયારણ અને દવાઓ પૂરતા પ્રમાણમા સમયસર મળી રહે એ માટે પણ પૂરતી વ્પવસ્થાઓ

¤ કુદરતી આફતો સામે કૃષિ પાકોને સંરક્ષણ આપવા માટે માતબર રકમના કૃષિ સહાયક પેકેજો જાહેર
***

 

ગુજરાત વિધાનસભા ખાતે ખેડૂતો ના દેવા માફ કરવા અંગેના છેલ્લા દિવસ ના પ્રસ્તાવ ઉપર રાજય સરકારે હાથ ઘરાયેલ કામગીરીની વિગતો આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે કુદરતી આપદા સમયે પણ ખેડૂતોનુ બાવડું પકડીને બેઠા કરવાનો ભગીરથ પ્રયાસ અમારી ભારતીય જનતા પક્ષની સરકારે છેલ્લા ૨૭ વર્ષમાં અપ્રતિમ પ્રય્રાસ કર્યૉ છે.આવા સમયે અમારી સરકારે માતબર રકમના કૃષિ રાહત પેકેજો જાહેર કરીને ખેડૂતોને મદદરુપ થયા છીએ અને આગામી સમયમાં પણ ગુજરાતની સરકાર ખેડૂતો માટે અનેકવિધ પ્રયાસો કરશે.

છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !

કૃષિ મંત્રી એ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ કાર્યો હાથ ધર્યા છે ત્યારે એ ક્ષેત્રે પણ ગુજરાત અસરકારક કામગીરી કરીને દેશભરને રાહ ચીઘશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો

કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટલે કે ખેડૂતોના હિતને વેલી અમારી સરકારે ખેડૂતોના દેવા માફ કરવા સંદર્ભે કહ્યુ કે, રાજ્યમાં ત્રિસ્તરીય સહકારી ધિરાણ માળખા દ્વારા ગ્રામ્ય સ્તર પર પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ, જિલ્લા કક્ષાએ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને રાજ્ય કક્ષાએ રાજ્ય સહકારી બેંક મારફતે ખેડૂતોને ખેતી વિષયક અને અન્ય પ્રકારનુ ધિરાણ પૂરુ પાડવામાં આવે છે. સહકારી ધિરાણ માળખા દ્વારા એટલે કે સહકારી બેંકો દ્વારા ૭%ના દરે ખેડૂતોને ધિરાણ આપવામાં આવે, અને તે ધિરાણ સમયસર પરત ભરપાઇ કરવામાં આવે તો, રાજ્ય સરકાર દ્વારા ૪% મુજબ અને ભારત સરકાર દ્વારા ૩% મુજબ વ્યાજ રાહત આપવામાં આવે છે.આમ, પાક ધિરાણ વિના વ્યાજે ખેડૂતોને મળે તેવુ આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

 

આમ આદમી પાર્ટી બીજેપી અને કોગ્રેસને આપી શકે છે મોટો ઝટકો !

કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ઔધોગિક વિકાસ ની સાથે સાથે રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ કૃષિ વિષયક આયોજન અને નીતિઓને કારણે રાજ્યના કુલ વાવેતર વિસ્તાર અને પાક ઉત્પાદનમાં વધારો નોંધાયેલો છે. એજ રીતે ખેડૂતોને પુરતા પ્રમાણમાં સસ્તુ ખાતર ,બિયારણ અને દવાઓ પૂરતા પ્રમાણમા સમયસર મળી રહે એ માટે પણ પૂરતી વ્પવસ્થાઓ કરી છે ઓકટોબર-૨૦થી આંતરરાષ્ટ્રીય બજારમાં દેશમાં વપરાતાં મુખ્ય ખાતર યુરિયા અને ડી.એ.પી માં ત્રણ ગણો વધારો થયેલ છે જે ધ્યાને લઇ ભારત સરકાર દ્રારા યુરિયા ખાતર પ્રતિ ટન રૂ.૨૦,૦૦૦/-થી વધુની તેમજ ડી.એ.પી.માં પ્રતિ ટન રૂ.૩૩,૦૦૦/-ની સબસિડી આપી, ભાવ વધારાની અસર ખેડુત પર થવા દીધેલ નથી છે. રાજ્ય સરકાર દ્વારા બીજ ઉત્પાદન અને પ્રમાણીત બીજ વિતરણ બાબતે ખેડૂતોને અને ઉત્પાદકોને સહાય કરવામાં આવે છે. જંતુનાશક દવાઓની આડઅસરો અને તેના વપરાશ ઘટાડવા માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે અને છેલ્લા બે વર્ષમાં બે લાખથી વધારે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરવામાં આવેલ છે.

 

નર્મદા  યોજના  ની કલ્પના સરદારની હતી નેહરુની નહોતી -નીતિન પટેલ

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યુ કે,ખરીફ-૨૦૨૧માં ફેબ્રુઆરી-૨૨ અંતિત કુલ ૫૦,૦૬૧ ખેડૂતો પાસેથી રૂ. ૫૨૮.૧૭ કરોડના મૂલ્યની કુલ ૯૫૩૩૧.૮૨ મે.ટન મગફળી તથા અન્ય કઠોળની ટેકાના  ભાવે ખરીદી કરવામાં આવેલ છે.રવિ ઋતુ માટે ટેકાના ભાવે ખેડૂત દીઠ ૨૫૦૦ કિ.ગ્રા. ચણાનો જથ્થો ખરીદવાનો નિર્ણય કરેલ છે. ચણાની ટેકાના ભાવે ખરીદી માટે ૩.૩૮ લાખ ખેડૂતો દ્વારા નોંધણી કરાવવામાં આવેલ છે અને ૧૮૭ કેંદ્રો પરથી ખરીદી શરુ કરવામાં આવેલ છે. તા.૩૦-૩-૨૨ સુધીમાં ૮૦,૮૬૪ ખેડૂતો પાસેથી રૂ. ૮૪૦ કરોડના મૂલ્યનો ૧,૬૦,૭૧૩ મે.ટન જથ્થો ખરીદ કરવામાં આવેલ છે.

કૃષિ મંત્રી પટેલે ઉમેર્યુ કે કુદરતી આફતો સામે કૃષિ પાકોને સંરક્ષણ આપવા માટે વર્ષ ૨૦૨૧-૨૨માં મે માસ દરમ્યાન આવેલ “તાઉ તે” વાવાઝોડાને કારણે ૧૨ જીલ્લાઓમાં થયેલ વ્યાપક નુકશાનને ધ્યાને લઇ જાહેર કરેલ “વાવાઝોડું કૃષિ રાહત પેકેજ-૨૦૨૧” અંતર્ગત  ૧.૭૦ લાખ ખેડૂતોને રૂ.૪૦૪.૮૮ કરોડની, સપ્ટેમ્બર-૨૧ માસમાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાન અન્વયે ચાર જીલ્લાના ૨૩ તાલુકાના ૬૮૨ ગામોના કુલ ૨.૨૨ લાખ ખેડૂતોને રૂ. ૪૪૩.૬૧ કરોડની તેમજ સપ્ટેમ્બર-૨૧ માસના છેલ્લા પખવાડિયામાં સતત વરસાદથી થયેલ પાક નુકશાન અન્વયે કુલ નવ  જીલ્લાઓના સાડત્રીસ તાલુકાઓના ૧૫૩૦ ગામોના ૩.૬૮ લાખ ખેડૂતોને રૂ. ૩૭૫.૬૩ કરોડની સહાય ચૂકવવામાં આવેલ છે.

 

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

 

કૃષિ મંત્રી એ ઉમેર્યુ કે ઉપજાઉ ખેતી માટે આધુનિક પ્રૌદ્યોગિક ઓજારોની ઉપલબ્ધિ પણ સરકારે કરી છેવવર્ષ: ૨૦૨૨-૨૩માં ટ્રેકટર ખરીદીમાં સહાય માટે રૂ. ૧૫૮.૦૦ કરોડ અને ખેત ઓજારો/ સાધનોની ખરીદી માટેની કૃષિ યાંત્રિકીકરણ ની વિવિધ યોજનાઓમાં કુલ રૂ. ૧૦૨ કરોડ જોગવાઈ કરવામાં આવેલ છે. રાજયના નાના અને સિમાંત ખેડુતો તેમજ નબળા ખેડુતો પણ કૃષિ યાંત્રિકરણના લાભથી વંચીત ન રહે તે માટે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ સ્થાપવાની યોજના પણ અમલમાં મુકવામાં આવેલ છે.

“મેક ઈન ઈન્ડીયા” અને “વોકલ ફોર લોકલ” ના મીશનને બળ આપવા ટ્રેક્ટરના સ્થાને ઉપયોગી થાય તેવા “સનેડો”-કૃષિ સાધનની ખરીદી પર સહાય માટે રૂ. ૧૦ કરોડની, વન્ય અને રખડતા પ્રાણીઓથી ઉભા પાકને નુકશાન થતું અટકાવવા ઝટકા મશીન-સોલાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવા માટે રૂ. ૨૦ કરોડની, ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે ડ્રોન ટેક્નોલોજી- કૃષિ વિમાનના ઉપયોગ માટે રૂ. ૩૫ કરોડની અને કાંટાળા તારની વાડ યોજનામાં રૂ. ૧૦૦ કરોડ જોગવાઈ કરવામાં આવેલ છે.

કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલે ઉમેર્યુ કે ખેડૂતોને પૂરતી અને સસ્તી વીજળી મળે એ માટે રાજય સરકારે હોર્સ પાવર આધારિત જોડાણો ધરાવતાં ખેડૂતો પાસેથી રૂ.૨૪૦૦/હો.પા./વર્ષના સ્થાને રૂ. ૬૬૫/હો.પા./વર્ષનો વીજ દર વસુલવામાં આવે છે અને તફાવતની રકમ પેટે, રૂા. ૧૭૩પ/હો.પા./વર્ષ રકમ રાજય સરકાર વીજ સબસીડી રૂપે ભોગવે છે. આમ ખેડૂતોને રાહત દરે વીજળી પૂરી પાડવામાં આવે છે. રાજયમાં વિષમ પરિસ્થિતિમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા સારું જરૂરિયાત મુજબ ખેડૂતોને ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવે છે.

 

You Might Also Like

ગાંધીનગરનાં આંગણે સેન્ટ્રલ વિસ્ટા પાર્ક ખાતે ,નામી અનામી શહિદોને સલામી આપતા પર્વ વીરાંજલિ ને નગરજનોએ ઉત્સાહભેર માણ્યો.

કોંગ્રેસના એમ એલ એ ગ્યાસુદ્દીન શેખ હેલ્થ ક્વાર્ટર્સ ના રિડેવલ્પમેન્ટ ને મ્યુનિસિપલ કમિશનર ને લખ્યો પત્ર

ખેડૂતોના નામે રાજનીતિ કરવા નીકળેલા નેતાઓને ખેડૂતોએ પાઠ ભણાવ્યો

છોડમાં રણછોડ દેખાય છે તેમ દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ ભુપેન્દ્રપટેલ: મુખ્યમંત્રી

ગુજરાતમાં કેવી રીતે વૈદિક હોળી ની કરાશે ઉજવણી

TAGGED:agriculturebhupendra patelFarmergujarat govtkrushimake in inidapm modiraghavji patel
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?